મિત્રો,
શિવરાત્રીનો તહેવાર અને ઉપવાસ શક્કરીયાના શીરા અને બટાકાની સૂકી ભાજી વિના તો કેમ ઉજવાય, ખરું ને ? તો ચાલો બનાવીએ આ સાવ સરળ અને પૌષ્ટિક ફરાળી વાનગીઓ …
સામગ્રી :-
૫૦૦ ગ્રામ શક્કરીયા
૨ – ૩ કપ દૂધ (દૂધ અને પાણી ભેગા કરીને પણ લઈ શકાય)
૨ ચમચી ઘી
ખાંડ સ્વાદ અનુસાર
રીત :-
સૌથી પહેલા શક્કરીયાને છાલ ઉખેડીને બાફી લો. હવે તેને સારી રીતે છૂંદી નાખો, તેમાં ૨ થી ૩ કપ દૂધ (દૂધ અને પાણી ભેગા કરીને પણ લઈ શકાય) અને સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો અને પછી તે મિશ્રણને ૧ મિનિટ સુધી હેંડ મિક્સી વડે ફેંટી લો. આના લીધે શક્કરીયામાં આવતા રેસાને ચાળીને અલગ કાઢવા નહીં પડે. ત્યારબાદ એક વાસણમાં ઘી ગરમ કરો અને આ તૈયાર કરેલું મિશ્રણ તેમાં ઉમેરી થોડીવાર સુધી તેને ગેસ પર ધીમા તાપે ચડવા દો આ શીરાને સતત હલાવતા રહો અને થોડું ખદખદવા માંડે એટલે ગેસ પરથી ઉતારીને સર્વિંગ બાઉલમાં કાઢી ડ્રાયફ્રુટ વડે સજાવીને પીરસો.